Sunday, December 28, 2014

નગર ચરખો: જેન્ડર સ્ટીરીયોટાઈપનાં બીબાંની બહાર!


સ્ત્રી-પુરુષોના વર્તનમાં અમુક જ ફેરફારોને સહેલાઈથી તેમના શારીરિક ફેરફાર જોડે સાંકળી શકાય છે. પણ તેમના વર્તનમાં રહેલા બીજા ઘણા તફાવતો સામાજિક ભૂમિકા અને મોભામાંથી જન્મે છે. લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી બાબત છે. જેમકે, 'છોટા ભીમ'ના એનીમેશનમાં છોટા ભીમ એ બહાદુર છોકરો છે જે લાડુમાંથી શક્તિ મેળવીને ગુનેગારોને ધૂળ ચાટતા કરે છે. જ્યારે છોટા ભીમની મિત્ર ચુટકી એ નાજુક-નમણી છોકરી છે જે લાલી-લીપ્સ્ટીક સાથે જ જોવા મળે છે. આને 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' કહેવાય. બાળકોને એ સંદેશો જાય છે કે છોકરીનું કામ શણગાર કરીને ફરવાનું છે. આખી વાત બે ડગલાં આગળ લઇ જઈએ તો છોકરીએ પોતે 'ઉગારવા માટે' એક મજબૂત ભીમ શોધવાનો હોય છે. 

સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે. કોઈ પણ પ્રકારના સ્ટીરીયોટાઈપને ખાળવા પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ સ્ટીરીયોટાઈપ છે. જેમ કે, સફેદ હંસ એક સ્ટીરીયોટાઈપ છે. જ્યારે કાળા હંસ જોવા મળે છે ત્યારે લોકો ભોંઠા પડે છે. હંસ તો સફેદ જ હોવા જોઈએ એવો આગ્રહ ન કરી શકાય. સફેદ હંસની થીયરી સાચી સાબિત કરવાની લાહ્યમાં કાળા હંસોનું ગળું ન ઘોંટી શકાય. દેશ કે સમાજને કાળા અને સફેદ હંસ એમ બંનેની જરૂર હોય છે. કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે. સમાજે ઉભી કરેલી બીબાંઢાળ ભૂમિકાઓની સરહદો ઓળંગીને જ જે-તે વ્યક્તિ સ્વતંત્ર કે સ્વાવલંબી બની શકે છે અને સમાજને નવી સમજણો પાછી આપી શકે છે. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ  રીતે વળગી રહેવામાં નહિ. 

ઘર-સમાજ ઉપરાંત શિક્ષકો અને સ્કૂલો પણ જેન્ડર સ્ટીરીયોટાઈપને મજબૂત કરવામાં આડકતરી કે સીધી મદદ કરતા હોય છે. છોકરાઓએ નાટકમાં ભાગ લેવાનો અને છોકરીઓએ ગરબામાં. શિક્ષકો કોઈ ઓજાર કે યંત્રનું કામકાજ છોકરાઓને સમજાવતા દેખાય અને ઘરગથ્થું કામ માટે છોકરીઓને યાદ કરવામાં આવે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં રમેશ તેના મિત્રો જોડે રમતો દેખાય અને રમીલા તેની માતાને ઘરકામમાં મદદ કરતી દેખાય. રમીલા નાનાભાઈને રમાડે (એટલેકે ધ્યાન રાખે) અને રમેશ દાદીમાં પાસેથી વાર્તા સાંભળે. શિક્ષકોની અભ્યાસમાં છોકરા-છોકરીઓ પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય. સૌથી ગંભીર સ્ટીરીયોટાઈપ છે કે કોઈ પ્રશ્નને હલ છોકરાઓ તર્કશક્તિનો ઉપયોગ કરે અને છોકરીઓ આત્મસૂઝનો. ખરેખર? જાણકાર શિક્ષણવિદો આવું માનતા નથી. શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? કદાચ મોટાભાગના શિક્ષકોને ખબર નહિ હોય કે તેઓ છોકરી-છોકરાની જોડે અલગ અલગ વર્તન કરીને તેમના મગજમાં રહેલી ગ્રંથીઓને દ્રઢ કરી રહ્યા છે અને તેમને અમુક બીબાંમાં ઢાળી રહ્યા છે. શિક્ષક અને માં-બાપ તરીકેને પહેલી જવાબદારી એ છે કે છોકરી હોય કે છોકરો તેમના માટે સરખી તકો ઉભી કરાવી. તેમની શક્તિઓને પીછાણવી અને તેમને પોતાની મર્યાદાઓની પેલે પાર જતા શીખવાડવું. 


સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક. નર હવે હથિયાર લઈને અસ્તિત્વની લડાઈ લડવા કે જંગલી પ્રાણી મારી લાવવા જતો નથી. માદા હવે પ્રજનન કે બાળ-સંભાળ માટેનું સાધન માત્ર નથી. નર-માદા હવે પુરુષ-સ્ત્રી બનીને સમાજના કોઈ પણ વર્ગમાં બંને સાથે ઘર ચલાવે છે અને સાથે બાળકો ઉછેરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રોજબરોજના કામકાજની વહેંચણી ચોક્કસ થઇ શકે પણ કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી. સ્ત્રીઓ જો શેરબજારમાં ટ્રેડિંગ કરતા શીખતી હોય તો પુરુષો રસોઈ કરતા શીખી જ શકે. આ માનવ-ઉત્ક્રાંતિની સાદી સમજ છે. પણ સાદી સમજણો સમજવી અઘરી હોય છે, નહિ! 

નવગુજરાત સમય, પાન નં 9, 28 ડીસેમ્બર (રવિવાર) 2014.

Today's article - outside the box of gender stereotypes!
Social stereotypes reduce the possibilities of having diversities in a society and perceive everyone in a homogeneous way. To resist stereotypes, it is important to know first that these are really the stereotypes. Unless you get to know some black swans, it is convenient to believe that swans could only be white. You can't kill all the black swans or paint them white to prove the white swan theory. The point is, we need both white and black swans for a vibrant society or nation.
Individuals who defy the stereotypical or conventional roles give back new understanding for social progress to their society. The very foundation of human evolution is in defying the conventional roles or boundaries and going beyond them.
Sex is a biological category whereas Gender is a social category. Behaviour of both genders is guided more by their social expectations and positions rather than the biological differences. Boys take part in a play and girls take part in a dance. Is it true that boys are more logical or rational and girls are more intuitive? It is a popular social stereotype. Many studies have found that cognitive abilities in both genders are more similar than different. It depends upon individuals whether they are more intuitive or more logical. But social expectations of behaving in a particular way starts reflecting in the classrooms. 
Teachers and parents play an important role in either deepening stereotypes or in defying them. They should understand strength of an individual student/kid and teach them how to go beyond their limitations. It is their prime responsibility to create equal opportunities instead of showing stereotypical barriers to children. Equal opportunities come first and then equal rights will follow - if we create a situation of equal opportunities, individuals will learn to fight for their own rights.

Sunday, December 21, 2014

નગર ચરખો: સ્ત્રીઓને માણસમાંથી જણસ કોણ બનાવે છે?


સ્ત્રી-શરીરને આગળ ધરીને દુનિયાની બધી પેદાશો અને આડપેદાશો વેચવા કાઢવામાં આવે છે. શેવિંગક્રીમથી લઈને કાર સુધીના ધંધા માટે સ્ત્રી-શરીરને આગળ ધરવાની જરૂર પડે છે. 'ચીકની ચમેલી' અને 'શીલાકી જવાની' દ્વારા ફિલ્મો વેચવામાંઆવે છે. આ ફિલ્મો-ગીતોની સફળતા દ્વારા સ્ત્રી-શરીરની હલકી નુમાઈશને જાહેર રીતે સામાજિક-સાંસ્કૃતિક મંજૂરી મળે છે અને આ ગીતોના શબ્દો રોજબરોજની બોલચાલની ભાષામાં પ્રવેશે છે. અહીં બારીક વાત એ છે કે સ્ત્રી-શરીર કે માનવ-શરીરના પ્રદર્શન માત્ર સામે વાંધો નથી પણ એ સમજવું ઘટે કે આ પ્રદર્શન કોણ કરે છે, શા માટે કરે છે, કોણ, ક્યા હેતુથી કરાવે છે. આ પ્રદર્શન કરવાથી 'સ્ત્રી એટલે શરીર' કે ' સ્ત્રી એટલે ઉપભોગની વસ્તુ' - આ સરળીકરણ બહુ જડબેસલાક સ્થાપિત થઇ ગયું છે. આવી પરિસ્થિતિના લીધે તરુણો, નવયુવાનો અને પુરુષોને સ્ત્રીને શરીર ઉપરાંત એક વ્યક્તિ કે માણસ તરીકે જોવામાં તકલીફ પડે છે.  

'સ્ત્રી એટલે શરીર માત્ર' તેવી સામાજિક માન્યતાને લોકોના મગજમાં દ્રઢ કરવામાં જાહેર માધ્યમોમાં સ્ત્રીઓનું હલકું નિરૂપણ બહુ મોટો ભાગ ભજવે છે. સ્ત્રીનું વ્યક્તિત્વ તેની શારીરિક કે ભૌતિક સીમાઓથી ઊંચું હોય તો પણ તેને તેના શરીરને આધારે જ મૂલવવામાં આવે ત્યારે સમાજ પરિપક્વ હોવા અંગે શંકા જાગે. પણ સ્ત્રીને માણસમાંથી જણસ બનાવવાનો બહુ મોટો ઉદ્યોગ છે અને તેની પોષતો ગ્રાહકવાદ પણ રચાયો છે. જાહેર માધ્યમોમાં સ્ત્રીઓનું જે હલકું નિરૂપણ થાય છે તેનાથી કોઈ પણ પુરુષોને છેડતી કે બળાત્કાર કરવાનું લાઈસન્સ નથી મળી જતું. સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાની પ્રક્રિયામાં પોતે કેવી રીતે ભાગ ભજવે છે આ પોતાની રીતે દરેક વ્યક્તિએ - પુરુષે તપાસી લેવું જોઈએ. 

સ્ત્રી જાત પર, ખાસ તો પત્નીના નામે ઉડાવાતી ખીલ્લી દ્વારા લૈંગિક ભેદભાવો બહુ અસરકારક રીતે ઊંડા થાય છે. કોઈને હીણા, નીચા કે નકામાં ચીતરવા હોય તો તેમની મજાક બનાવવી સહેલો અને અકસીર ઉપાય છે. મૂળ તો આ રીતે સ્ત્રીને કાબૂમાં રાખી શકાય છે. સ્ત્રીઓ પર થતી હિંસાનો 'બહાદુરી'થી મુકાબલો કરવા માટે સ્ત્રીઓના આવાગમન પર, તેમની નોકરી કરવા પર, તેમના કપડાં પર કે તેમને મોબાઈલ રાખવા સુધ્ધાં પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ પ્રતિબંધોને સામાજિક મર્યાદા જેવા રુપકડાં નામોથી સજાવવામાં આવે છે. પોતાનું કહ્યું માનતી સ્ત્રીઓને દેવીનું બિરૂદ મળે છે અને સવારથી સાંજ રસોડામાં મજૂરી કરતી અને તૈયાર ભાણે ગરમ-ગરમ રોટલી પીરસતી સ્ત્રીને અન્નપુર્ણાનું બીરૂદ મળે છે. આવા બિરૂદો સ્ત્રીની સામાજિક મૂડી છે, જેનો ભાર વેંઢારીને તે જીવન પસાર કરે છે. પોતાના પર આટલું વીતી ચુકેલી સ્ત્રીઓની જૂની પેઢી, નવી પેઢી પાસે પણ પોતે જે રીતે પિતૃસત્તાક મૂલ્યોનું પાલન કર્યું તે પ્રમાણે જ તેનું પાલન થાય તેવી 'પરંપરા' જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.

સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદની વચ્ચે પોતાનાં સ્વતંત્ર વિચારો કે વ્યક્તિત્વની સાથે સુમેળ ધરાવતાં આત્મશક્તિસંપન્ન (empowered) પાત્રોની ભયંકર કમી આજકાલના ટીવી-મીડિયા-ફિલ્મમાં જોવા મળે છે. પિતૃસત્તાક વાતાવરણની મધ્યેથી ફૂટી નીકળતાં આત્મ-સત્તાક સ્ત્રી અને પુરુષ પાત્રોની ગંભીર અછત છે. અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને દીબાકર બેનર્જી જેવા જૂજ ફિલ્મકારોએ આત્મ-શક્તિસંપન્ન સ્ત્રી-પુરુષ પાત્રો વચ્ચે સર્જાતાં જાતીય સંબંધોના જોડતોડની વાત કરવાની શરૂઆત કરી છે. પણ સમગ્ર સમાજ પર ચીકની ચમેલી-પણાનો ભયંકર પ્રભાવ છે. વીજાતીય સંબંધોના મામલે પરિપક્વ હોવું એટલે સામીવાળી વ્યક્તિની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો. વિજાતીય વ્યક્તિ આપણી જેમ જ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે, એ એક શરીર માત્ર નથી. આપણે જેમ પોતાના સ્વતંત્ર વિચારોનો ઉપયોગ કરીને સ્વ-અર્થ અને સ્વ-વૃત્તિ જાળવી રાખીએ છીએ તેમ તે પણ તે કરી જાણે છે. ખાસ તો પુરુષમાં પરિપક્વતા શારીરિક ફેરફારોથી નથી આવતી. સ્ત્રી એ શરીરથી વધારે કંઇક છે, એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની મૂળભૂત શરત હોવી જોઈએ. સ્ત્રીઓને જણસ નહિ પણ માણસ સમજે તે સાચો પુરુષ! 

નવગુજરાત સમય, પાન નં 9, 21 ડીસેમ્બર (રવિવાર) 2014.

Today's article - Woman as a body vs. woman as a person. 

There is an industry of seeing a woman 'only as a body' supported by consumerism of its own kind. Sometimes, adolescents and young men are terribly confused about their sexuality and how to deal with the opposite sex. They are completely surrounded by 'woman=body' or 'women for consumption' kind of messages. However, cheap portrayal of women in various mediums doesn't give anyone licence to molest women on streets. Every man should check for himself of how he is participating in the process of objectification and commodification of a woman's body. 

The patriarchal values in the society end up supporting 'woman=body' kind of portrayals as 'need of a man' while laying down the rules for 'a woman with a good character' - achche ghar ki auratain! Putting restrictions on women's clothing, movements, communication is the most important way of stopping violence against them in a conservative society. Women who follow these rules/restrictions in the name of culture/traditions are further co-opted by patriarchy to prepare the next generation of women following these rules/restrictions. 

Very few films or other mediums portray women as people - that they have their own mind, wishes, desires, fallacies and triumphs. There is a great dearth of self-empowered characters emerging out of patriarchal society. In the mainstream hindi cinema, a few film makers have begin to tell us stories about such characters and their sexual politics. But society at large is infested by 'chikani-chameli-sm'. In such situation, it is important for men to see women as people. People have their own selfish interests and self-less motives at the same time. Seeing a woman as a person should be a fundamental quality of being a man. 

Monday, December 15, 2014

નગર ચરખો: મર્દાનગીની વ્યાખ્યા બદલાવી જોઈએ!


નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા પ્રમાણે આપણા દેશમાં એક દિવસમાં ૯૨ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. દેશની રાજધાની દિલ્હીમાં એક દિવસમાં ૪ સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. ૯૪ ટકા કિસ્સાઓમાં બળાત્કારી શોષિત સ્ત્રીને કોઈક રીતે ઓળખતો હોય છે. પોલીસને રીપોર્ટ થતાં બળાત્કારોમાંથી માત્ર ચોથાભાગના કેસોમાં ગુનેગારને સજા ભોગવવાનો ચુકાદો મળે છે. દિલ્હીમાં થયેલા ચકચારી નિર્ભયા બળાત્કારને બે વર્ષ પૂરાં થશે અને આજે પણ આ જ યથાવત પરિસ્થિતિ છે. આપણે ભલે દેશમાં સૌનો વિકાસ થાય તેવી ગમે તેટલી ઈચ્છા રાખીએ પણ પ્રતિદિન ૯૨ બળાત્કારની આપણી દારુણ વાસ્તવિકતા છે.

બળાત્કાર એટલે સ્ત્રી ઉપર હિંસક હૂમલો અને હિંસાનું વિકૃત સ્વરૂપ. બળાત્કારની ઘટના એ વાસનાએ દોરેલી ઘટના કરતાં પુરુષાતનના વિકૃત શક્તિ-પ્રદર્શનની ઘટના વધુ હોય છે. મોટાભાગના બળાત્કારીઓ એવું માનતા હોય છે કે તેઓ કાયદાના ચંગુલથી છટકી જશે અને આ સ્ત્રી શરમની મારી કંઈ કહી શકશે જ નહિ. અને ખરેખર આવું જ થાય છે.બળાત્કારીઓના મનોવલણો દર્શાવે છે કે 'સબક શીખવાડવા' કે 'ઠેકાણે લાવવા' કે 'સ્થાન બતાવવા' વગેરે જેવા કારણ બળાત્કારની જેવી ઘટનાને સુધી પહોંચાડતા હોય છે. વાસના કે લૌલુપતા અને બળાત્કાર સુધી પહોંચવું તેની વચ્ચે બહુ લાંબુ અંતર હોય છે. આ અંતર કપાય છે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષની ભાવના (misogyny) અને પહેલેથી જ સ્ત્રીને ઉપભોગ માત્રનું સાધન કે નીચલી પાયરીનું 'પ્રાણી' માનવાના પિતૃસત્તાક મૂલ્યોના લીધે. તેમાં વળી કાયદા-વ્યવસ્થાના ઠેકાણા ન હોય ત્યારે તો આવા તત્વોને છૂટો દોર મળે છે. 

સ્ત્રીઓ સામે હિંસાએ સ્ત્રીઓનું રોજબરોજના જીવનમાં થતા અપમાનની બીમારીનું લક્ષણ માત્ર છે. સ્ત્રીને દેવી ગણીને પૂજાતા આ દેશમાં સ્ત્રીઓ સામેની હિંસા સર્વત્ર વ્યાપ્ત છે. દહેજના સ્વરૂપ બદલાયા છે પણ વિવિધ પ્રકારની ભેટ-સોગાદોની પ્રથા ચાલુ છે. દહેજ અને તેના વિવિધ સ્વરૂપોનો સીધો સંબંધ છે સ્ત્રી-ભ્રુણ હત્યા જોડે. સ્ત્રી-ભ્રુણ હત્યા અવિકસિત,અભણ, પછાત વિસ્તારો કે જ્ઞાતિઓમાં નથી થતી. એ થાય છે 'સુવિકસિત, સુસંસ્કૃત,વિકસેલા'  શહેરી વિસ્તારોમાં, તે સમાજવિજ્ઞાનની રીતે પૂરવાર થયેલું સત્ય છે. કહેવાતા પછાત, આદિવાસી વિસ્તારોમાં તો સ્ત્રીઓની સંખ્યા પુરુષો જેટલી (અને ક્યારેક વધુ) જોવા મળે છે. તો પછી આપણે કેવા ‘સુધારેલા’ સમાજમાં રહીએ છીએ કે જેમાં જન્મતાં પહેલા,જન્મ્યા પછી, લગ્ન વખતે, નોકરી કરવા જતી વખતે સ્ત્રીઓ પર વિવિધ પ્રકારના હુમલા થતા જ રહે છે?

૯૯ ટકા બળાત્કાર પૂરા કપડાં પહેરેલી સ્ત્રીઓ પર થયા છે. કોઈ મીની-સ્કર્ટ કે સ્પેઘેટી પહેરીને ફરતી સ્ત્રીઓ પર નહિ. એટલે સ્ત્રીએ પહેરેલા કપડાં અને બળાત્કારને સીધો સંબંધ બાંધી શકાતો નથી. જેને જે પહેરવા હોય તે કપડાં પહેરે તેના લીધે કોઈને કોઈના પર હિંસક હુમલો કરવાનું સર્ટીફીકેટ મળી જતું નથી. આ દેશના પુરુષોએ આગળ આવીને કહેવું જોઈએ કે અમે જંગલી જનાવરો નથી કે નબળો શિકાર જોઇને તેની પર તૂટી પડીએ, કે થોડું ખુલ્લું શરીર જોઇને તેની પર તૂટી પડીએ. આ બળાત્કાર વિશેની આખી ચર્ચાને પુરુષકેન્દ્રી બનાવવાની જરૂર છે, તેવું પુરુષોએ જ કહેવું જોઈએ. પુરુષોની માનસિકતા વિષે ચર્ચા થવી જોઈએ. એ જમાનો ગયો કે જ્યારે ઘરમાં માત્ર દીકરીને જ સંસ્કારી વર્તન કરતા શીખવાડતા હતા. દીકરીઓએ જે શીખવા જેવું છે તે શીખી લીધું છે, હવે દીકરાઓને  સ્ત્રીઓને માન આપવાના સંસ્કાર બહુ સચોટ રીતે આપવાનો સમય આવ્યો છે.

એકવીસમી સદીમાં મર્દાનગીની વ્યાખ્યા બદલાવી જોઈએ. આધુનિક સમયની પુરુષો પાસેથી તેમની સામાજિક ભૂમિકાની માંગ હવે અલગ છે.  મર્દાનગી સ્ત્રી-દેહનો સંમતિ વિના ઉપભોગ કરવામાં કે સ્ત્રી-શરીર વિષે ભદ્દી મજાક કર્યા કરવામાં નથી. સાચી મર્દાનગી સૌને સાથે સારી રીતે વર્તવામાં, સ્ત્રી-બાળક-વૃદ્ધોની સંભાળ લેવામાં અને તેમને - તેમની પસંદગીઓને માન આપવામાં છે. જે બીજાની પસંદ-નાપસંદને માન આપે તે જ સાચો પુરુષ કહેવાય. આવી સંવેદના વગરની મર્દાનગી એ વિકૃતિ છે. પુરુષોએ જ આગળ આવીને સ્ત્રીઓને લિંગને આધારિત હિંસા સામે સુરક્ષા આપવાની લાંબી લડતમાં ભાગ લેવો જોઈએ.

નવગુજરાત સમય, પાન નં 9, 14 ડીસેમ્બર (રવિવાર) 2014.


Yesterday's article - Let's change the definition of 'manliness/ mardanagi'! 

Two years after the massive protest in Delhi, rapes/violence against women continue and nothing much has changed on the ground conditions. It is worth saying a few things again and again -

- National Crime Bureau data says 92 women are raped in a day in India. 4 women are raped in Delhi everyday. In 94% rape cases, the rapist is known to the rape victim. 
Only in about 25% cases the accused are convicted. Many cases of molestations and violence may not be even reported. 

- Rape is a violent, sexual crime. It is not about who is wearing what, who is going out at what time - it is about inflicting violence in a perverted way. Rape is only a symptom of prevalent misogyny and patriarchy in our society. It is a symptom of how men looks at their own manhood and how they see women's position in the social hierarchy. The systems of law and order and perceptions of saftety are built around these assumptions. 

- Lets re-define what is manliness. Being a man could also mean being caring and understanding choices of others. Being a man means not laughing on sexist jokes and not participating in activities which pull other people down - including women. 

- We have taught enough to our daughters and they have learnt perfectly well - not to do this and that. It is time we teach our boys to behave and to respect women - to see them as people. 

Monday, December 08, 2014

નગર ચરખો: આપણે તો રોન્ગ સાઈડમાં ઘુસીને જ મંદિર જઈએ ને!



રોંગ સાઈડમાં ઘુસીને વાહન ચલાવતાં મંદિરે જઈએ તો પાપ લાગે? રોંગ સાઈડમાં ઘૂસીને બાળકોને સ્કૂલે મૂકવા જઈએ તો તેમને વિદ્યા ચઢે? રોંગ સાઈડમાં ઘૂસીને કોઈને હોસ્પિટલ મળવા જઈએ તો પછી પોતાનો ક્યારેક હોસ્પિટલ ભેગા થવાનો વારો આવે કે નહિ? શું ધર્મપાલન કે વિદ્યા-પ્રાપ્તિના માર્ગ રોંગ સાઈડમાં થઇને જ જતો હોય છે? રોંગ સાઈડમાં ઘૂસીને ટ્યુશન જતાં વિદ્યાર્થીઓ મોટા થઈને રોંગ સાઈડમાં ઘૂસીને જ મંદિર-દેરાસર-મસ્જીદ-ચર્ચ જતાં થઇ જશેને! વાહન-ચાલકો પોતાની નાની-નાની સગવડો સાચવવા રોંગસાઈડમાં ઘૂસતા હોય છે. જો રોંગસાઈડમાં ન ઘૂસે તો તેમને કંઇક સો-બસ્સો મીટર જેટલું વધારે વાહન ચલાવીને લઇ જવું પડે. આ કોઈ મોટી તકલીફ નથી, છતાં રોંગસાઈડમાં ઘૂસવાનું જ. 

ટ્રાફિકના કાયદા-નિયમો તોડવા તે માઈક્રો ભ્રષ્ટાચાર છે. દરેક વાહન ચાલક પોતાની જાતને વિકટીમ સમજતો હોય છે. હું બિચારો કે બિચારી શું કરું - આ રોડ બનાવતી વખતે વચ્ચે 'કટ' રાખ્યો જ નથી! તો પછી મારે કાયદો હાથમાં જ લેવો પડે ને. કમનસીબે, આ પ્રકારે કાયદો હાથમાં લેવાની પ્રક્રિયાને સામાજિક સ્માર્ટનેસ સમજવામાં આવે છે. વળી, આ વિકટીમહુડની લાગણી મોંઘા વાહનો ખરીદવાથી બેવડાય છે, જાણે કે કોઈએ મોંઘું વાહન ખરીદીને શહેર પર ઉપકાર કર્યો હોય. કોઈ મસ-મોટું, મોંઘું વાહન ખરીદે એટલે આખા શહેરમાં રસ્તા પર જોઈએ તેટલી જગ્યા, આખી જિંદગી જ્યાં જોઈએ ત્યાં ફ્રી પાર્કિંગ અને ગમે તેમ હોર્ન મારવાનો પરવાનો નથી મળી જતો. વાહન ચાલકોએ આખી પરિસ્થિતિને તાર્કિક રીતે જોવાની બહુ જરૂર છે. 

ઘણાં મુગ્ધજનો એવું માનતા હોય છે કે બાળકોને બાળપણથી જ  ટ્રાફિક નિયમનના પાઠ શીખવાડવા જોઈએ. તે માટે શાળાઓમાં અભિયાન ચલાવવા જોઈએ અને બાળકો માટે 'ટ્રાફિક પાર્ક' બનાવવા જોઈએ. આ બધું ચોક્કસ કરવું જોઈએ પણ એ યાદ રાખીને કે બાળકો ગમે તે શીખતા હોય, તે આખરે તેમનાં માતા-પિતા કે બીજા કુટુંબીજનોને અનુસરે છે. જે માં-બાપ રોંગ સાઈડમાં ઘૂસીને વર્ષો સુધી બાળકોને સ્કૂલે મૂકવા ગયા હોય તેમના બાળકો કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકશે? જ્યારે આજુબાજુમાં સર્વત્ર પોતાની નાની સગવડ માટે કાયદા તોડવાની પરંપરા હોય ત્યાં નૈતિકતાપૂર્ણ વર્તન કરવાની બધી જ જવાબદારી બાળકોની કેવી રીતે હોઈ શકે? 

કોઈ પણ રોડનું પ્લાનિંગ કે ડીઝાઈન મહાનગરપાલિકા કરે ત્યારે આસપાસના નાગરિકને પૂછીને તેમના સૂચનો લેવાનો કોઈ રીવાજ નથી. આપણે ત્યાં રસ્તાઓનું પ્લાનિંગ કોઈ એન્જીનીયરની મન-મરજી પ્રમાણે થાય છે, જે રસ્તા પર થતી પ્રવૃતિઓ અને આસપાસની જરૂરીયાત ને ધ્યાનમાં રાખ્યા વગર એક જ ડીઝાઈનનો સ્ટેમ્પ દરેક જગ્યાએ મારી દે છે. પછી, ટ્રાફિક પોલીસની જવાબદારી તે સાચી-ખોટી ડીઝાઈન કે પ્લાનિંગ અનુસાર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની છે. સતત અને મોટી સંખ્યામાં કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરે છે. ક્યારેક તેમની પાસે સ્ટાફ અને સવલતોના પ્રશ્નો હોય છે તો ક્યારેક તેમને આવી સમસ્યાઓના મૂળમાં જવામાં રસ હોતો નથી. પરિણામે 'ચાલતા હૈ'ની સીસ્ટમ ચાલુ રહે છે. રસ્તા પરના ટ્રાફિક પર કોઈનો અંકુશ રહેતો નથી અને પરિણામે આ પરિસ્થિતિ માર્ગ અથડામણમાં પરિણમે છે. 

ભારતમાં વર્ષે સવા લાખ લોકો માર્ગ અથડામણમાં મૃત્યુ પામે છે. આ માનવ-સર્જિત આપત્તિ છે છતાં કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. આ સવા લાખમાંથી ત્રીજા ભાગના મૃત્યુ પામનાર મોટર-સાઈકલ કે સ્કૂટર ચલાવનાર હોય છે. આ મૂળ લોકલ ગર્વનન્સનો પ્રશ્ન છે. એક બાજુ જવાબદારી નાગરીકોની છે કે જે કાયદાનું પાલન કરે. બીજી બાજુ જવાબદારી સરકારની છે કે જે તર્ક-સંગત નિયમો અને રસ્તાની ડીઝાઈન બનાવે. જો ટ્રાફિકના કાયદા, નીતિ-નિયમો નાગરિકોની સગવડને સંગત ન હોય તો તે સરકાર - ટ્રાફિક પોલીસ કે મ્યુનીસીપલ કોર્પોરેશન સામે રજૂઆત કરી શકે તે પ્રકારનું પ્લેટફોર્મ સહેલાઇથી મળવું જોઈએ. જો ટ્રાફિક પોલીસની નજર સામે સુવ્યવસ્થિત રીતે કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો તેમણે સામે ચાલીને આ વાહનચાલકો સાથે સંવાદ કરવો જોઈએ. નહીતર પછી રસ્તા પર કાયદા ન પાળવાનો કોઈનો સગવડીયો ધર્મ માર્ગ સુરક્ષાની વ્યવવસ્થા પર પ્રશ્નાર્થ ઉભો કર્યા કરશે.

નવગુજરાત સમય, પાન નં 9, 7 ડીસેમ્બર (રવિવાર) 2014.

Is it alright to go to the temple by driving on the wrong side of the road?

How about parents (on motorbikes and cars) dropping kids to school by driving on the wrong side of the road? Lot of people believe that we should teach the kids traffic discipline from their childhood - catch them young! Kids learn more looking at the conduct of their parents then what they learn in the children's traffic parks. How do we expect the kids to follow traffic rules when there is a prevailing culture of casual rule breaking for the sake of little convenience. Unfortunately, this culture of casual rule breaking is considered social smartness in most cases.

The wrongful behaviour on part of the the motor vehicle drivers also emerge from their own imagination of seeing themselves as 'victims' - 'what do I do when there is no provision for my convenience!' When someone buys an expensive, big vehicle the feeling of victimhood doubles up, as if buying an expensive vehicle is a licence to ask for more road space, free parking space and honking unnecessarily. More powerful vehicles (and people) have bigger feeling of victimhood and wishes to discipline the others.

The wrongful behaviour of drivers often emanates from illogical traffic rules and incompetent roadway design. Road designs are often typical stamps replicated across the city instead of the design being based on on-going activities or adjoining land-use. Traffic police with their limited resources overlook the mass subversion of traffic rules - sometimes, they facilitate the subversion actively. Combination of these factors result in unsafe roads. 1.25 lakh Indians die in road traffic related crashes. If we are serious about reducing road fatalities then we will have to work on these three factors infrastructure, rules and behaviour simultaneously.

Sunday, November 23, 2014

નગર ચરખો: ટ્રાફિક નિયમન માટે સમરસ સ્ટ્રીટ ડીઝાઈન!

Source: Embarq- https://www.flickr.com/photos/embarq/sets/72157643625753835/

અમદાવાદ ટ્રાફિક પોલીસ માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવી રહી છે. ટ્રાફિક પોલીસનું કામ બહુ અગત્યનું છે અને એટલું જ થેન્કલેસ છે. જરૂરી સાધનો અને સ્ટાફનો અભાવ હોવા છતાં શહેરના લાખો વાહનો નિયમોનું પાલન કરેટ્રાફિકનો પ્રવાહ આગળ વધતો રહે અને રસ્તાઓ પર અથડામણ ન થાય તે બધી ય જવાબદારી ટ્રાફિક પોલીસને માથે હોય છે. ક્યારેક તો પછી ટ્રાફિક પોલીસે વાહન-ચાલકોને કહેવું પડે ને કે તમે પણ નિયમ પાલનની કંઈક જવાબદારી હાથમાં લો. ટ્રાફિક પોલીસનાં આ નવા અભિયાનને સલામ કર્યા પછી બે પાયાની બાબતો વિચારવા જેવી છે. ટ્રાફિકનાં નિયમપાલન અને શિસ્તની આડે આવતાં બે મુખ્ય કારણો છે: એકટ્રાફિકનાં વિચિત્ર નિયમો અને રસ્તાની ખરાબ ડીઝાઈન.

તકલીફ એ છે કે 'ટ્રાફિક'ની વ્યાખ્યામાં યાંત્રિક વાહનો જ આવતાં હોય છે અને ટ્રાફિકનાં નિયમો વાહનોને સરળતા આપવા માટે જ ઘડાયા હોય છે. ભારતીય શહેરોમાં ટ્રાફિકનો ત્રીજો હિસ્સો રાહદારીઓ અને સાઈકલ સવારોનો હોય છે. જેમને ટ્રાફિક જેવું 'સન્માનઆપવાને બદલે તેમને ન્યુસન્સ ગણી લેવામાં આવે છે. રોડ અથડામણમાં રાહદારીઓ અને સાઈકલસવારોનો મૃત્યુ-સંખ્યા બહુ મોટી છે. વળીવાહનોની ડીઝાઈન ડ્રાઈવરને સુરક્ષિત રાખવા માટે કરેલી હોય છે. કોઈ પણ રોડ અથડામણમાં વાહનની અંદર બેઠેલાને કોઈ નુકસાન થતું નથી. આપણે સૌ પણ ઘણી વાર રાહદારીઓ બનીએ છીએ. મોંઘામાં મોંઘી કાર ધરાવનારા વ્યક્તિએ પણ ચાલવું તો પડે જ છે એટલે રાહદારીઓનાં ટ્રાફિકનાં પ્રશ્નો અંગે વિચારેલું હોય તો તે સૌ સુધી પહોંચે છે. 

ટ્રાફિકના નિયમોની વિચિત્રતાનું એક ઉદાહરણ છેફ્રી-લેફ્ટ-ટર્ન. સીધા જનારા વાહનો અને ડાબી તરફ વળતાં  વાહનોની વચ્ચેરસ્તાનો એક ત્રિકોણ ભાગ પડે છેજેનો કોઈ વાહન ઉપયોગ કરતુ નથી. તે ત્રિકોણ જગ્યાનો ઉપયોગ રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવા માટે થઇ શકે છે.  કમનસીબેઆવા આઈલેન્ડને કોઈ કંપનીની સ્પોન્સરશીપ માટે આપી દેવામાં  આવે છે. આ ત્રિકોણ ભાગ કોર્ડન કરીને તેના પર જાહેરાતો અને લીલોતરી થોપવામાં આવે છેતેથી રાહદારીઓ તેનો ઉપયોગ નથી કરી શકતા અને વાહનો વચ્ચે અટવાય છે. ફ્રી-લેફ્ટ-ટર્ન જેવા નિયમને લીધે રાહદારીઓરસ્તો ક્રોસ કરનારાસાઈકલ સવારો (એટલેકે ધીમો ટ્રાફિક કે જે રસ્તાની ડાબી બાજુ ચાલે છે) તેમના પર ગંભીર ખતરો તોળાય છે. વાહન ચાલકો ફ્રી-લેફ્ટ-ટર્ન વાળા ભાગમાં આવનારાં રાહદારીઓ કે બીજા કોઈ વાહનોને બહુ સ્પષ્ટતાથી જોઈ શકતા નથી તેથી ઘણા જીવલેણ અકસ્માતો થતા હોય છે. ફ્રી-લેફ્ટ-ટર્ન એ કાયદો નથીનિયમ છે અને ટ્રાફિકનું નિયમન કરનારા લોકો એ નક્કી કરે છે. તેઓ સમગ્ર વ્યવસ્થા તેના વગર પણ ગોઠવી શકે છે.

બીજું કે, ટ્રાફિક પોલીસ અને વાહન-ચાલકના નિયંત્રણની બહાર રસ્તાઓની ડીઝાઈન અને પ્લાનિંગ કરવાની જવાબદારી મ્યુનીસીપલ કોર્પોરેશનની હોય છે. લેન માર્કિંગટ્રાફિક આઈલેન્ડફૂટપાથપાર્કિંગઝાડપાન,પાથરણાંવાળા જેવા અનેક તત્વોનું સંમેલન ધરાવતા આપણાં રસ્તાઓની ડીઝાઈન જો વ્યવસ્થિત રીતે ન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસનો કામનો બોજો વધી જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન થાય તેમાં વાંક માત્ર વાહન-ચાલકનો નથી હોતો. પણ અહીં મોટો વાંક ખરાબ રીતે ડીઝાઈન કરેલા રસ્તાઓનો હોય છે. જો લેન માર્કિંગ જ ન હોય તો તમે તેને કેવી રીતે અનુસરશો. જો ચાલાવાલાયક ફૂટપાથ જ ન હોય તો રાહદારીઓએ રસ્તાની વચ્ચોવચ જ ચાલવું પડે ને. 

સારી-સમરસ સ્ટ્રીટ ડીઝાઈન રસ્તાનો ઉપયોગ કરનાર દરેકને જગ્યા આપે છે. ખરાબ સ્ટ્રીટ ડીઝાઈન મોટા વાહનોને એમ માનવા દે છે કે 'જે દેખાય છે તે આપણી જગ્યા'. દુનિયાભરમાં (અમેરિકા સિવાય) અને પોલીસી લેવલે હવે ભારતમાં પણ કોઈ એવું નથી માનતું કે રોડ વ્હિકલ માટે જ હોય ને!'. રોડ એટલે કે રસ્તો બધા માટે હોય છે. એ રસ્તાનો એક ભાગ માત્ર વાહનો માટે હોઈ શકે. પણ આખો રસ્તો એ વાહનો, માણસો અને બીજી જરૂરી પ્રવૃત્તિઓ માટે છે. પહેલા આપણે સારી માળખાકીય સુવિધાઓ અને સૌને એકસરખી આંખે જોતાં નિયમો બનાવવાં પડે પછી વાહનચાલકોને શિસ્તમાં રહેવું સહેલું પડે. 

નવગુજરાત સમય, પાન નં 9, 23 નવેમ્બર (રવિવાર) 2014. 

Traffic regulations require a good street design! 

Ahmedabad Traffic Police is celebrating a "road safety week". Traffic issues are often reduced to 'discipline' or 'civic sense' issues. We hardly pay any attention to systematic issues like biased rules or inequitable design of streets. Only motorised vehicles are considered as 'traffic' and the traffic rules are written for their easy flow - sometimes, at the cost of other users. More than one-third of the trips in many Indian cities are made by cyclists and pedestrians, yet a little attention is paid to their needs. 

One example of unfair arrangement coupled with bad design is 'free-left-turn'. It is seen as a 'right' of the motorists but it harms all other users and activities. Bad street design allow the motor vehicles 'to grab as much space as possible'. Good street design gives space to all users. Having good street design and equitable rules makes it easier for everyone to follow traffic rules and this will ease out the job of the traffic police too.

Friday, November 21, 2014

નગર ચરખો: રાહગીરી દિવસ એટલે જનપાંચમનો મેળો!


 મેળો એટલે શું - યાદ છે? જ્યાં પાર વિનાના લોકો હોય, ચકડોળ હોય, ફૂગ્ગા હોય, જાતભાતનાં સ્ટોલ હોય, ખાણીપીણી હોય. આબાલવૃદ્ધ સૌ ગામમાં મેળો આવવાની રાહ જોતાં હોય. મેળો ગામની ઓળખ હોય છે. હવે તો મેળો જોવા માટે છેક તરણેતર સુધી લાંબા થવું પડે છે. હવે આપણે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનની બહાર બીજા માણસ સાથે ભેગા થવાનું, વાતો કરવાનું કે કોઈ પણ પ્રકારની વાસ્તવિક જગ્યામાં એકઠા થવાનું ભૂલી જવાનાં છીએ. ચારે બાજુ હવે દીવાલો હોય, સીસીટીવી કેમેરા લગાવેલા હોય, બે-ત્રણ ચોકીદારો ફરતાં હોય તેવી જ 'પબ્લિક સ્પેસ'માં આપણને સુરક્ષિત લાગે છે. હવે પોળ-સંસ્કૃતિના પ્રતિક જેવાં વાટકી, પંચાત કે ટોળ-ટપ્પાં જેવા કોઈ વ્યવહાર કરવાની કોઈ સ્પેસ કે ગતાગમ રહી નથી. આપણે તોતિંગ દરવાજા ધરાવતી 'સોસાઈટી'માં રહીએ છીએ, ધાતુના ડબ્બામાં પુરાઈને ઓફીસ જઈએ છીએ, ઓફીસની કેબીનમાં ભરાઈ રહીએ છીએ. ખુલ્લી હવામાં શ્વાસ માટે બગીચા સુધી લાંબા થવું પડે છે અને હવે તો ત્યાં ય કેટલી ભીડ ઉમટે છે. ટૂંકમાં, શહેરને શહેર બનાવતી જગ્યાઓ ઓછી થતી જાય છે અને મશીન બનાવતી જગ્યાઓ વધતી જાય છે.

શહેરો માણસો માટે નહિ પણ વાહનો માટે વસાવવામાં આવે છે. બાળકોને રમવા માટે જગ્યાઓ ઓછી થાય છે અને વાહનોને પ્રસરવા માટે જગ્યાઓ વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિને રસ્તા પર ચાલવું કે રસ્તો ક્રોસ મુશ્કેલ થઇ પડ્યું છે. ચાલવાની જગ્યા અને માથે શીતળ છાંયો ધરાવતા રસ્તાઓ (જે અમુક જ વર્ષો પહેલા દરેક શહેરમાં સહેલાઈથી જડી આવતા) હવે મોંઘા કે ખાનગી થઇ ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં શહેરોમાં વાહનોનું આધિપત્ય થોડું ઓછું કરી શકવાના અને માણસનું આધિપત્ય વધારવાના પ્રયત્નો કરવા જરૂરી છે.

પ્લેટો-એરીસ્ટોટલ જેવા ગ્રીક ફિલસૂફો બે હજાર વર્ષ પહેલાંથી નગર-સંસ્કૃતિમાં પબ્લિક સ્પેસ ઉર્ફ જાહેર જગ્યાનું મહાત્મ્ય કરતાં આવ્યા છે. આપણાં સદીઓ જૂનાં પરંપરાગત શહેરોમાં પણ માણેક ચોક જેવી પબ્લિક સ્પેસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જો આજે આવી જગ્યા બનાવવામાં આવે તો પણ તેના યોગ્ય ઉપયોગ માટેની લોક લાગણી ક્યાંથી લાવીશું? શહેરોમાં પબ્લિક સ્પેસ વિષે લોકલાગણી લાવવા માટે આ પ્રકારનું પબ્લિક કલ્ચર ઉભું કરવું પડે. લોકોને શહેર પોતીકું લાગવું જોઈએ અને તે માટે લોકોએ ભેગા થવું પડે. લોકોને જાહેર જગ્યા માટે લાગણી થવા માટે તેમાં યોગ્ય કાર્યક્રમો થવા જરૂરી છે. આવો જ એક વિચાર છે - રાહગીરી દિવસ.

વિચાર બહુ સાદો-સીધો છે. શહેરના મધ્યભાગમાં એક રસ્તા પર વાહનોની અવર-જવર રોકીને પબ્લિક સ્પેસ રીક્લેઈમ કરવાની છે. એકવાર વાહનોની અવર-જવર બંધ થાય એટલે ત્યાં તાત્કાલિક ધોરણે મેળો ભરાઈ શકે, કાર્નિવલ થઇ શકે. બાળકો રમતાં થાય, જાદુના ખેલ થાય, ફૂગ્ગાવાળો આવી શકે, એક્રોબેટીક્સ થાય, ડાન્સ થઇ શકે, ખાણીપીણી થઇ શકે. લોકો પોતાના ભંડકિયામાં મૂકી રાખેલી સાઈકલ, સ્કેટ બોર્ડ કે સ્કેટીંગ શૂઝ લઈને નીકળી પડે. ઘણા વિદેશી શહેરોમાં થયેલાં સંશોધન જણાવે છે કે જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો આ પ્રકારના વેહિકલ-ફ્રી દિવસના લીધે સ્થાનિક દુકાનોમાં ધંધો 33 ટકા જેટલો વધી જાય છે. નજીકની દુકાનોનું એક્સ્ટેન્શન છેક રસ્તા સુધી કરી શકાય. મેળામાં જ તો લોકો સૌથી વધારે ખરીદી કરતાં હોય છે. આ સિવાય, રાહગીરી દિવસ યુવાનો માટે વિવિધ પ્રકારના ટેલેન્ટ પ્રદર્શનનું પ્લેટફોર્મ પણ બની શકે છે. વિવિધ પ્રકારની ગીત-સંગીત  કે શેરી નાટકની સ્પર્ધાઓ પણ યોજાઈ શકે છે. 

કવિશ્રી રમેશ પારેખ એક ગીતમાં દુનિયાને 'મનપાંચમના મેળો' કહે છે કે જ્યાં કોઈ એક ખિસ્સું અજવાળું તો કોઈ એક મુઠ્ઠી પતંગિયા તો કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવે છે. જો રમેશ પારેખની દુનિયા 'મનપાંચમના મેળા' જેવી હોય તો શહેરી દુનિયા 'જનપાંચમના મેળા' જેવી કેમ ન હોઈ શકે કે જ્યાં જનતાના શહેરની પબ્લિક પ્લેસ પરના અધિકારનો ઉત્સવ થતો હોય. જે શહેર પતંગિયાને, ફૂલોને, ઝાકળને જગ્યા આપે છે તે માણસના ખરા અસ્તિત્વને વાચા આપે છે. જો આપણે શહેરમાં આ પ્રકારના દિવસની ઉજવણીને નિયમિત કરીશું તો શહેરોમાં 'જનપાંચમ'ના મેળાઓ અને મેળાવડાઓ યોજાવાની રાહ નવી પેઢીને બતાવી શકીશું.

નવગુજરાત સમય, પાન નં 9, 16 નવેમ્બર (રવિવાર) 2014. 

Rahgiri day (vehicle-free Sunday) is people's own carnival - it is a celebration of people's right our city's public spaces.(Ahmedabad is initiating Rahgiri day with the first one taking place on CG Road today morning. We need to popularise it more and it should become a regular feature in the public life of the city.)

Vehicles encroach every bit of public spaces in our cities, especially the pedestrian areas. Children have no space to play on streets, it is difficult for elder citizens to cross a road negotiating with traffic. Walking spaces with shaded canopies have become either expensive to live in or are privatised and gated. One and half lakh people die in road crashes in India, we need to radically re-design our streets. We need to do much more to reclaim our public spaces. 

Rahgiri day is one such idea to reclaim our public spaces. When we stop vehicles' movement in the middle of the city - a road becomes a street! There will be a spontaneous mela, children will be seen playing - people will be seen loitering, walking, cycling, talking and generally socialising. I hope, we continue to reclaim public places with such ideas in Ahmedabad and other cities as well.

નગર ચરખો: પહેલા ગવર્નન્સ પછી સિવિક સેન્સ!


નિર્મલ ભારત કહો કે સ્વચ્છ ભારત અભિયાન, આપણી આસપાસને બે બાયોં ચઢાવીને સાફ કરવાની જરૂર તો છે. આપણાં દેશમાં ગંદકીની સમસ્યા બહુ વંઠી ગઈ છે, જાહેર જગ્યાઓએ તો ખાસ. વડા પ્રધાનથી માંડીને ફિલ્મ સ્ટાર, ક્રિકેટ સ્ટાર વગેરેએ હાથમાં ઝાડુ લઈને સફાઈઓ શરુ કરી, બહુ સારી વાત છે! એ વાતનો આનંદ છે કે પોતાનું આંગણું ચોખ્ખું રાખીને બહાર કચરો ફેંકતા દેશમાં સર્વત્ર સ્વચ્છતા રાખવાની દિશામાં કંઇક શરૂઆત થઇ. પણ કોઈકે સાચી સફાઈ કરી તો કોઈકે માત્ર ફોટા પડાવવા માટે. રાજકારણમાં પ્રતીકાત્મક ઉત્સવો, ફોટો-ઓપ (ફોટા પડાવવાની તકો) અને નવા-નવા અભિયાનોનું બહુ મહત્વ હોય છે. આવા ઉત્સવોનો ફાયદો એ છે કે નાગરિકોને એવો સંદેશ મળતો રહે છે કે સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. 

મૂળભૂત સવાલ એ છે કે સરકારી રાહે નાગરિકોને તેમની ફરજનું ભાન કરાવ્યા બાદ સરકાર શહેર સાફ રાખવાની પોતાની ફરજ યાદ રાખે છે? ધારો કે કોઈ નાગરિક સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઈને કચરો નાખવા કચરાપેટી શોધે, તો જાહેર જગ્યા પર એ કચરાપેટી મૂકવાની જવાબદારી સરકારની હોય છે. કચરો ગમે ત્યાં ન ફેંકનાર જેટલી જ જવાબદારી કચરાપેટી મૂકનારની હોય છે. કચરાપેટી ન હોય તો કોઈને કચરો ગમે ત્યાં નાખવાનું મન થાય એટલે કચરાપેટીનું હોવું જરૂરી છે. આખા શહેરમાં કચરાપેટી મૂકવાની જવાબદારી એટલે કે શહેરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી મ્યુનીસીપલ સરકાર કે શહેર સુધરાઈની હોય છે, આ કામ માટે તેમની પાસે મસમોટું તંત્ર હોય છે. શહેરોમાંથી હજાર મેટ્રિક ટન કચરો ઉપાડવાનો હોય છે. હવે આ તંત્ર તમારી આસપાસની જગ્યાઓ કેટલી ચોખ્ખી રાખે છે, તે તમે જ નક્કી કરો. 

આપણાં શહેરોમાં મોટાભાગના જાહેર રસ્તાઓ પર કચરા પેટીઓ કે જાહેર શૌચાલયો હોતા જ નથી. વળી, મહિલાઓ માટે શૌચાલયો બનાવવાનો કોઈ વિચાર કે વ્યવસ્થા હોતાં નથી. જો ક્યાંય કચરાપેટીઓ કે શૌચાલયો મૂકાઈ ગયા હોય તો સમયસર સાફ થતાં નથી, મેઇન્ટેનન્સની તો વાત જ ભૂલી જાઓ. જાહેર જગ્યાઓ અને રસ્તાઓમાં શૌચાલય કે કચરાપેટીઓની બનાવીને તેમને સારી રીતે ચલાવવાનું કામ સરકાર ખાનગી કંપનીઓ પાસે પણ કરાવી શકે છે, પણ આખરે આ વ્યવસ્થા તો સરકારે જ ઉભી કરાવી પડે. જાહેર રસ્તાઓ પર કચરાપેટીઓ અને શૌચાલયોની અવેજીમાં જાહેર રસ્તાઓ જ કચરા ટોપલી કે શૌચાલયો જેવા બની જાય છે અને તે ચાલવાલાયક કે માણવાલાયક રહેતા નથી. 

કોઈ પણ જાહેર સુવિધાની વાત કરવાની ચાલુ કરો ત્યારે સરકાર સાથે જોડાયેલા જનતાના પ્રતિનિધિ - નેતાઓ કે જનતાના સેવક - અધિકારીઓ વારંવાર એક વાત લઇ આવે છે કે આપણી પબ્લિકમાં કોઈ સેન્સ જ નથી એટલે કે સિવિક સેન્સ જ નથી. લોકો કોઈ જાહેર વસ્તુ કે સુવિધાની જાળવણી કરી શકતા નથી. ચાલો, માન્યું કે નાગરીકો તેમની ફરજ ચૂકી જતાં હશે, પણ સરકારની પોતાની જવાબદારીનું શું? તમે તમારા ઘરની બહાર નીકળીને અડધો કિલોમીટર ચાલો તો તમને કેટલી કચરાપેટીઓ રસ્તામાં મળે. કચરાપેટી તો દૂરની વાત છે પણ (જો રસ્તા નિયમિત સાફ થતાં હશે તો) રસ્તાના ખૂણે કચરાનો ઢગલો જરૂર મળશે જેને યોગ્ય વ્યવસ્થાના અભાવે સળગાવી મૂકીને હવામાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હશે. 

શહેરમાં ઉદ્ભવતા ઘન કચરાના નિકાલમાં પ્રાથમિક મ્યુનીસીપલ ગવર્નન્સ કે વહીવટમાં સક્ષમતામાં પ્રશ્નો હોય ત્યાં સુધી નાગરિકોને સ્વચ્છતાના પાઠ ભણાવવાનો શો મતલબ છે? તકલીફ એ છે કે સરકાર શહેર સ્વચ્છ રાખવાની નાગરિકોની ફરજ ગણાવ્યા કરે છે ને નાગરીકો સ્વચ્છતાનો હક માંગે તો ગલ્લાંતલ્લાં કરે છે. પહેલા તો શહેરોમાં સફાઈની વ્યવસ્થા વધુ મજબૂત થવી જોઈએ, આ વ્યવસ્થા ઉભી કરવા માટે પૂરતું બજેટ ફાળવવું જોઈએ. સફાઈની વ્યવસ્થા કરનાર સ્ટાફને માન-સન્માન સાથે વ્યવસ્થિત મહેનતાણું મળે અને સારું કામ કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. લોકોમાં સિવિક સેન્સ નથી તેવાં બહાનાં સફાઈની મજબૂત વ્યવસ્થા એટલે કે ગુડ ગવર્નન્સ ગોઠવાયા પછી કાઢવામાં આવે તો તેનો કંઇક મતલબ છે. નહિ તો પછી સ્વચ્છ ભારત અભિયાનની ઉદાત્ત ભાવનાથી પ્રેરાયેલો નાગરિક કચરો એકઠો કરીને ઉભો રહેશે પણ કચરો નાખવા માટે કચરાપેટી તેને ક્યાંય નહિ જડે. 

નવગુજરાત સમય, પાન નં 9, 9 નવેમ્બર (રવિવાર) 2014. 

Governance first and then civic sense! 

After reminding citizens about their duties, does the city government take their duty of keeping the city clean seriously? When a citizen inspired by the clean India campaign look for a dustbin to throw garbage, it is the job of the city government to make sure that the dustbin is in its place. When a dustbin is in place, it is more effective to tell the citizen to use it. If it is not there then the government is not doing its job but expects the citizen to perform all the civic duties. Here, the 'dustbin' is just a symbol of the solid waste management system of the city. 

In most of our cities, the solid waste management is in shambles, especially in the public spaces. The streets are not cleaned regularly. When they are cleaned, the garbage is burnt openly in one corner (as in Ahmedabad). The public toilets (for men) - when built - are not maintained properly. There are hardly any public toilets for women. If the city government can manage 'private' garbage (door-to-door collection), what is stopping them from managing our public places - streets. 

The babus and the netas often complain that our citizens don't have any 'civic sense'. How can you expect any 'civic sense' before putting good governance in practice? Why is this expectation from the citizens to keep performing their duties, while the government agencies don't take their duties seriously. It is time the citizens should ask cleanliness as their 'right' when the government expects it as their 'duty'.

નગર ચરખો: જમશેદપુર - ભારતનું પહેલું 'પ્રાઈવેટ' શહેર!


ભારતના શહેરોનું વર્ગીકરણ કરીએ તો તેમાં જમશેદપુરનું વિશિષ્ટ સ્થાન છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈ, કોલકતા, ચેન્નાઈ જેવા શહેરો બ્રિટીશરાજમાં ધમધમતા બંદરો હતાં. પુણે, કાનપુર, આગ્રા, બરેલી, મેરઠ, મથુરા, વારાણસી, દહેરાદૂન વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવા ઉપરાંત અંગ્રેજો માટે મહત્વના લશ્કરી થાણા (cantonment) હતાં. તે સિવાય, અંગ્રેજોએ શિમલા, મનાલી, ઉટી, દાર્જીલિંગ, ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોનો વિકાસ ખાસ તો વેકેશન  માણવા માટે કર્યો. બ્રિટીશરાજને ભારતમાં ઔદ્યોગીકરણ કરવામાં બહુ રસ નહિ હતો પણ તેમને ભારતમાંથી કાચા માલ-સામાનમાં જરૂર રસ હતો. ત્યારે ભારતના મૂડીપતિઓ પોતપોતાની રીતે બ્રિટીશ સરકારની બિન-ઔદ્યોગીકરણની નીતિઓ સામે સામ અને દામથી લડીને પોતપોતાની રીતે નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થાપી રહેલા. તેમાં અગ્રક્રમે આવતા જમશેદજી તાતાએ વર્ષ ૧૯૦૮માં તાતાની સ્ટીલ ફેક્ટરીની સાથે સાથે 'તાતાનગર' નામના શહેરનો પાયો નાખ્યો, જેને પાછળથી જમશેદપુરના નામે ઓળખવામાં આવે છે. આ ખરા અર્થમાં ભારતનું પહેલું ઔદ્યોગિક શહેર હતું.

તાતાનગર માટે સુબર્ણરેખા અને ખારકાઈ નામની બે નદીના પટની વચ્ચેનો, સંથાલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા ગાઢ જંગલમાં, લગભગ સો ચોરસ કી.મી.નો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતના શહેરો ક્યારેક કોઈ સાંસ્કૃતિક-ધાર્મિક સિદ્ધાંતોમાં દર્શાવ્યા પ્રમાણે બન્યા તો પછી ક્યારેક રાજ્યશાસકોની સત્તાના પ્રતિક રૂપે કે પછી કોઈના ધન-વૈભવના દેખાડાના અખાડા તરીકે આકાર પામ્યા હતા. જમશેદપુર જ એક એવું શહેર છે કે જેની મધ્યમાં ધાર્મિક ઈમારતો કે કોઈનો મહેલ નથી પણ એક ફેક્ટરી છે. શહેરના રસ્તાઓ પર ફરતા આ શહેરની ઔદ્યોગીકતા મોટા-મોટા ભૂંગળા, લાઈટો, લોખંડી માળખાઓ સ્વરૂપે ડોકાઈ જાય છે. તેથી શાસ્ત્રીય અર્થમાં જમશેદપુર 'આધુનિક' શહેર છે કે જે આર્થિક તંત્ર પર ચાલે છે, અહી લોકો નાત-જાત પ્રમાણે નહિ પણ કંપનીએ ફાળવેલા મકાનોમાં રહે છે, સામાજિક મેળાવડાઓ નાત-વાડી કે મંદિર-મસ્જીદમાં નહિ પણ 'ક્લબ' વગેરેમાં મળે છે.

જમશેદજીએ માત્ર એક ફેક્ટરીની પાસે ટાઉનશીપ નહોતી બનાવવી. તેમને શહેર વસાવવું હતું. જમશેદપુરમાં આજે ઘણા બાગ-બગીચા, ઝૂ, મ્યુઝીયમ, ખ્યાતનામ હોસ્પિટલ અને બીજા દવાખાના, એરપોર્ટ, શાળાઓ, રમત-ગમતના વિશાલ સંકુલો - ક્રિકેટ, ફૂટબોલ, સ્વીમીંગ, એથલેટીક્સ અને હોકી માટે તો અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડીયમ છે. એક કંપની તરીકે તાતા ગ્રુપને આમાંથી અમુક મૂળભૂત સુવિધાઓ સિવાય કશું જ કરવાની જરૂર નહતી. છતાં પણ તેમને એક આદર્શ શહેર વસાવવાની દ્રષ્ટિથી આ સુવિધાઓ ઉભી કરી હતી. તેના પરિણામે તેમને મોટા શહેરોમાંથી સારી પ્રતિભા કે જાણકારોને આ કહેવાતા પછાત વિસ્તારમાં લઇ આવવામાં ઓછી મહેનત પડી હશે.

જમશેદપુર પાસેથી બે બાબતો દરેક શહેરે શીખવા જેવી છે. એક, શહેરની મ્યુનીસીપલ સેવાઓનું પ્રોફેશનલ મેનેજમેન્ટ. જમશેદપુરના મૂળ વિસ્તારનું વ્યવસ્થાપન 'જુસકો (જમશેદપુર યુટીલીટીઝ એન્ડ સર્વિસીસ કંપની)' નામની ખાનગી કંપની કરે છે. 'જુસકો' સંચાલિત વિસ્તારમાં પાણી, ગટર, રસ્તા, લાઈટો વગરેની તકલીફ લગભગ નહિવત છે અને કંઇક ખોટકાય તો તેની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવે છે. 'જુસકો'ના વિસ્તારની બહારની વસાહતોનું વ્યવસ્થાપન આદિત્યપુર, જુગસલાઈ, માંગો જેવી વિવિધ નગર પંચાયતો કે નગરપાલિકા કરે છે. અહી બધું અસ્ત-વ્યસ્ત છે, પ્રાથમિક સુવિધાઓ નથી, કોઈ આયોજન નથી, નગર પંચાયતો પાસે પૈસા નથી. ટૂંકમાં, પાણી ભરવા માટે આ લોકોએ 'જુસકો'ના વિસ્તારમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. શું દરેક શહેર મ્યુનીસીપલ સેવા માટે જમશેદપુર પાસેથી પ્રોફેશનલ મેનેજમેન્ટ ન શીખી શકે?

બીજું કે, જમશેદપુરમાં 'વિવિધતામાં એકતા' કે 'સર્વધર્મ સમભાવ' કે 'બિનસાંપ્રદાયિકતા' જેવા વિચારો ખરા અર્થમાં જીવે છે. જમશેદપુર મુખ્ય શહેરમાં મોટા થતા બાળકો બહુ જ પચરંગી (કે કોસ્મોપોલીટન) સંસ્કૃતિમાં ઉછેરાય છે. સ્કૂલમાં એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી વગેરેનું પ્રતિનિધિત્વ હોવું તે સામાન્ય બાબત છે. આજુબાજુમાં બધા જ જાતના ઉત્સવો ઉજવાતા હોય, જાત-ભાતના ગીત-સંગીત, પુસ્તકો, ફિલ્મો હોય તો યુવા પેઢીને દુનિયાની વિશાળતા બહુ આસાનીથી સમજાય અને દેશના કોઈ પણ ભાગમાં તેઓ આસાનીથી ગોઠવાઈ જાય. 'વિવિધતામાં એકતા' જેવા સૂત્રો આઝાદ ભારતમાં અમલમાં આવે તેના ચાલીસેક વર્ષ પહેલાંથી જમશેદપુર તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. 

આપણાં દરેક શહેરોમાં વિવિધ સંસ્કૃતિઓનું વધુને વધુ મિશ્રણ થાય અને મ્યુનીસીપલ સેવાઓ વધુ પ્રોફેશનલ બને તેવી નવા વર્ષની શુભેચ્છાઓ! 

નવગુજરાત સમય, પાન નં 9, 2 નવેમ્બર (રવિવાર) 2014. 

Jamshedpur (estd.1908) is India's first industrial-modern city, where instead of a temple/mosque/church or some palaces, an industrial plant marked the centre of the city. In spite of being a 'private' city, the public functions like gardens, zoo, lake front, sports complexes, market places and green streets are given prominence. Today, we can surely learn two things from Jamshepdur - one, the professional management of urban services and two, putting in practice 'unity in diversity' a few decades before the Independence. People from various regional and religious backgrounds (surely not the income classes) lived together - something that is un-thinkable in many existing cities - getting exposed to other cultures, festivals, literature, music and ways of living. The Jamshedpurians fit in any part of India much easily, they don't need to create their own ghettos.

નગર ચરખો: સી નો ઇવિલ - બ્રિસ્ટલમાં એક લટાર!





ઇંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમી વિસ્તારમાં આવેલું બ્રિસ્ટલ એક અનોખું શહેર છે. 'બ્રિસ્ટલ' નામએ શહેર કરતાં વધુ જાણીતું છે. યુ.એસ-કેનેડામાં મળીને બ્રિસ્ટલ નામ સાથે સંકળાયેલી ત્રીસ-પાંત્રીસ જગ્યાઓ છે. બ્રિસ્ટલ શહેર સિવાય 'બ્રિસ્ટલ' નામ હોટેલ, કાર, સિગારેટ કે તમાકુ વગેરે સાથે જોડાતું રહ્યું છે. જેનું કારણ આ શહેરનો બંદર તરીકેનો ઈતિહાસ અને અહીંના જાણીતા ઉદ્યોગ કેન્દ્રો છે. ભારતમાં જાણીતી 'બ્રિસ્ટોલ' નામની સિગારેટ બ્રાન્ડનું નામ પડવાનું કારણ અહીનો તમાકુનો વેપાર હોઈ શકે. 'વિલ્સ' કંપનીની સ્થાપના બ્રિસ્ટલમાં થઇ હતી. તેના મુખ્ય મથક સમું મકાન આજે 'ટોબેકો ફેક્ટરી'ના નામે ઓળખાય છે અને તેના નવીનીકરણ બાદ ત્યાં એક સંસ્કૃતિક કેન્દ્ર છે, જેમાં થીયેટર, રેસ્ટોરેન્ટ, માર્કેટ વગેરે આવેલા છે. તે સિવાય, બ્રિસ્ટલમાં લક્ઝરી કાર બનતી અને વિમાન બનાવવાની ફેક્ટરી છે.  

બ્રિસ્ટલ પંદરમી સદીમાં પ્રખ્યાત બંદર હતું. જે એવોન નદીના સમુદ્રમુખે ભૌગોલિક રીતે જોડાયેલું છે. એવોન નામ પણ પ્રખ્યાત છે. ઈંગ્લેન્ડમાં જ આ નામની મૂંઝવણ પેદા કરે તેટલી નદીઓ છે, જેમકે શેકસપિયરના જન્મસ્થળનું નામ 'સ્ટ્રેટફર્ડ-અપોન-એવોન' (એટલે કે એવોન પર આવેલું સ્ટ્રેટફર્ડ) છે, પણ તે એવોન નદી બ્રિસ્ટલની એવોન કરતા જુદી છે. સત્તરમી સદીના સુરત અને પંદરમી સદીના બ્રિસ્ટલમાં ઘણી સામ્યતાઓ હતી અને સમુદ્રમુખે હોવાની એક સરખી ભૌગોલિક સ્થિતિ પણ. ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના સમયમાં બ્રિસ્ટલએ ઇંગ્લેન્ડનું લંડન પછીના મોટા શહેરોમાં ગણાતું હતું. તેના ભૌગોલિક સ્થાનને લીધે ઇંગ્લેન્ડ-અમેરિકી સંસ્થાનો અને આફ્રિકી સંસ્થાનો વચ્ચે થતાં ત્રિકોણીય વ્યાપાર, ગુલામોની ખેપો વગેરે બ્રિસ્ટલથી થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી લીવરપુલ, બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો વિકાસ ઝડપી થયો, પણ ગુલામીની પ્રથા બંધ થવાથી અને બ્રિસ્ટલ બંદરનો વ્યાપાર ઓછો થવાથી બ્રિસ્ટલનો આર્થીક વિકાસ તે શહેરોની સરખામણીમાં ઓછો થયો. જો કે બ્રિસ્ટલનું મહત્વ ઈંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારના વેપાર, કળા-સંસ્કૃતિ, રોજગાર, શિક્ષણના કેન્દ્ર તરીકે યથાવત રહ્યું છે.

કોઈપણ શહેરને તેમાં મળતા પિક્ચર પોસ્ટકાર્ડ પ્રમાણે તો નિરૂપી જ શકાય કે જેમાં શહેરના જાણીતા લેન્ડમાર્ક હોય, ગ્લાસ કે મેટલના ચમકારાવાળા મકાનો હોય. આવા ચિત્તાકર્ષક, મોહક અને સુપાચ્ય શહેરની પોસ્ટકાર્ડ આવૃત્તિ સિવાયનું એક શહેર હોય છે, જીવતું-જાગતું-ધબકતું, શહેરના પેટાળમાં આવેલું શહેર, છુપાયેલું છતાં છતું અને થોડું શોધવાથી જડી જતું શહેર. બ્રિસ્ટલની ભૂગર્ભ કે સમાંતર સંસ્કૃતિ, સ્ટ્રીટ આર્ટ, સ્વયંફૂર્ત ઘટનાઓ ખૂબ રસ પડે તેવી હોય છે. પશ્ચિમી સભ્યતાની ઔપચારિકતા, આયોજનબધ્ધતા, વ્યવસ્થાપન સામે તે તુલનાભેદ તો પૂરો પડે જ છે પણ સાથે સાથે પેલી ઔપચારિકતાઓ અને સમાજની રૂઢિચુસ્તતા સામે બંડ પોકારીને પડકાર ઉભો કરે છે. બ્રિસ્ટલમાં લટાર મારતા તેની સમાંતર સંસ્કૃતિ અને સ્ટ્રીટ આર્ટ મળી આવે છે. 

બ્રિસ્ટલમાં શહેરની મધ્યમાં નેલ્સન સ્ટ્રીટ નામની એક અંધારી, કાળા-ભૂખરાં મકાન ધરાવતી, બોરિંગ જગ્યા હતી. આજે આ જગ્યા વિશ્વનું સૌથી મોટું, ઓપન ફોર ઓલ, કળા પ્રદર્શન છે. દુનિયાભરના 45 કલાકારોએ અહીંની દસ-પંદર ગગનચુંબી ઈમારતોના દેખાવની કાયાપલટ કરી દીધી છે. પાછું આ અદભૂત પ્રોજેક્ટનું નામ અહીંના મુખ્ય કલાકાર ઇન્કીએ ગાંધીજીને ગમે તેવું આપ્યું છે - સી નો ઇવિલ. બુરું જોશો નહિ - સારું જુવો, સમજો, આત્મસાત કરો. કળા લોકો માટે, લોકોની આંખો સામે, હાલતાં-ચાલતાં, સંવાદ કરે તેવી હોવી જોઈએ. ચિત્રકલાને સમજવા આંખો કેળવો. સમાજમાં જેટલી જરૂર સાક્ષરતાની છે તેટલી જ જરૂર વિઝુઅલ સાક્ષરતાની હોય છે. 'સી નો ઇવિલ' શહેરની વચ્ચે કોઈ ઔપચારિકતાઓ વગર આવી આંખ-કેળવણી માટે તક પૂરી પાડે છે. 

'સી નો ઇવિલ'ની સાથે સાથે શહેરના સંગીતકારોએ નવો જ ઉત્સવ શરૂ કર્યો - હિયર નો ઇવિલ. બુરું સાંભળશો નહી. સારું સંગીત સાંભળો અને તે માટે કાન કેળવો. ઈંગ્લેન્ડના શહેરોમાં એક બીજો અનેરો અનુભવ છે, સ્ટ્રીટ મ્યુઝીક. રસ્તે ચાલતા આવા સ્થાનિક સંગીતકારો મળી આવે જે વાતાવરણને સુરાવલીઓથી ભરી દે છે. મેં ક્યારેય કોઈના સંગીતમાં 'માંગવાનો' સૂર નથી જોયો પણ 'ખુશ કરવાનો' સૂર હમેશા જોયો છે. સંગીતએ અર્બન આર્ટનું બીજું મહત્વપૂર્ણ પાસું છે. કોણ કહે છે કે યુરોપમાં વાઈબ્રન્ટ સ્ટ્રીટ કલ્ચર નથી, બ્રિસ્ટલ સ્ટ્રીટ આર્ટ અને કલ્ચરની યુરોપીય રાજધાની છે! 

નવગુજરાત સમય, પાન નં 9, 19 ઓક્ટોબર (રવિવાર) 2014. 

Tuesday, October 07, 2014

નગર ચરખો: સ્કોટીશ પાર્લામેન્ટ - પરંપરાના પાયા પર આધુનિક અભિવ્યક્તિ!





આધુનિક સ્થાપત્ય પરંપરાના પાયા પર ઉભું રહીને, સમકાલીન જરૂરીયાતો પૂરી કરવા સાથે ભવિષ્ય સાથે સંવાદ સાધતું હોય છે. પરંપરાગત સ્થાપત્યની બેઠી કોપી કરવાથી ભૂતકાળ અને ભવિષ્ય બંનેને અન્યાય થાય છે. લોકો પોતાનાં ઘરમાં કે ઘણીવાર ફ્લેટમાં જેસલમેર જેવા ઝરૂખા ચણાવતા હોય છે કે પછી ઘરની એક દીવાલ પર લીપણકામ કરીને નાનાં અરીસા ચીપકાવતા હોય છે. આને ભૂતકાળની કોપી કહેવાય, સમયાનુસાર જરૂરીયાતોને અવગણીને કરેલો મેક-અપ કહેવાય. મેક-અપ એકાદ પ્રસંગમાં સારો લાગે, તેની સાથે દિવસ-રાત જીવી ન શકાય. જેમ નવરાત્રીમાં નવ દિવસ પહેરેલાં પરંપરાગત પરિધાનો આખું વર્ષ ન ઠઠાડી દેવાય, તેમ પરંપરાગત સ્થાપત્યની એક જગ્યા અને સમય હોય છે. સ્થાપત્ય સમયને, જીવનશૈલીને, આધુનિક રીત-ભાતને અનુરૂપ હોય અને સાથે સાથે નવ-સર્જિત સ્પેસનો ઉપયોગ કરનારને નવી ઉર્જા સાથે આત્મીયતાનો અનુભવ કરાવતું હોય તો તે આદર્શ છે. 

સ્કોટલેન્ડના એડીનબરામાં સાલ 1999માં જ્યારે નવું પાર્લામેન્ટ બિલ્ડીંગ બનાવવાનું આવ્યું ત્યારે સ્થપતિ એનરીક મિરાલે મોયાએ પરંપરાગત બાંધકામ શૈલીમાં જકડાવવાને બદલે પરંપરાઓમાંથી પ્રેરણા લઈને આધુનિક જરૂરીયાત માટે આધુનિક બિલ્ડીંગ બનાવ્યું છે. સ્કોટલેન્ડમાં હમણાં ગયા અઠવાડિયે જ બ્રિટનથી છૂટા પડીને સ્વતંત્ર દેશ થવું કે નહિ તે અંગેનો જનમત યોજાયો હતો અને તેનો જવાબ સ્કોટીશ પ્રજાએ બહુમતિથી 'ના'માં આપ્યો છે. સ્કોટલેન્ડ બ્રિટનનો એક ભાગ હોવા છતાં તે ઘણે અંશે સ્વાયત્ત પ્રદેશ છે એટલે બ્રિટનમાં ત્રણસો વર્ષ ઉપરાંતથી તેને પ્રદેશ કે રાજ્ય નહિ પણ 'દેશ' તરીકે જ ઓળખવામાં આવે છે. ચતુર અંગ્રેજોએ સ્કોટલેન્ડને પ્રતીકાત્મક માન-ઇકરામ અને બને તેટલી સ્વાયત્તતા આપીને સ્વતંત્રતાની ઝૂંબેશમાંથી હવા કાઢી દીધી છે. એટલે જ સ્કોટલેન્ડમાં એસેમ્બલી નહિ પણ અલગ પાર્લામેન્ટ છે. 

સ્કોટીશ પાર્લામેન્ટ બિલ્ડીંગ આર્કિટેક્ટ એનરીક મિરાલે મોયાનો માસ્ટરપીસ છે. આસપાસના પરંપરાગત મકાનો સાથે તાદાત્મ્ય સાધવાને બદલે આ પાર્લામેન્ટ બિલ્ડીંગ પોતાની અનોખી ભાષામાં વાત કરે છે અને કોઈ સીધી લીટીનો તર્ક અનુસરતું નથી. જાણે કે આર્કિટેક્ટના જાદુઈ થેલામાં ચોરસ આકારો નથી ને કોઈ કાટખૂણાનું સંધાન નથી. જાણે કે કોઈ નવા જ પ્રકારની અભિવ્યક્તિ જમીનમાંથી એક પછી એક પગરવ લઈને ઉભરી રહી હોય તેમ ફ્રી-ફ્લોટિંગ ફોર્મ જેવો આ બિલ્ડીંગનો ઘાટ અને આકાર છે. બાંધકામની શૈલીમાં કોન્ક્રીટ, ગ્લાસ, લાકડાં, પાણીના ફુવારા જેવા તત્વોનું એક નવું સંયોજન મિરાલેની લેબોરેટરીમાં બને છે. સ્કોટીશ લેન્ડસ્કેપ પરથી પ્રેરણા લઈને આ બિલ્ડીંગ કોઈને વિખરાયેલા પર્ણ અને ડાળખીઓની ભાત વિકસાવતું લાગે છે, તો કોઈને તે સ્કોટીશ સરોવરમાં ઉંધી પડેલી હોડીનું ચિત્રણ લાગે છે. પ્રદેશના લેન્ડસ્કેપથી વધુ સજ્જડ કઈ પરંપરા હોઈ શકે!

એનરીક મિરાલે કહે છે કે બિલ્ડીંગના એલીવેશનમાં ગ્લાસનો ઉપયોગ કરવાથી આ લોકશાહીની સંસ્થાની પારદર્શકતા ઉભી થવાની નથી. બિલ્ડીંગનો બહારનો દેખાવ એ આધુનિક સમયની નવી પ્રતીકાત્મક અભિવ્યક્તિ છે. જ્યારે અંદરના ખંડોમાં તો જ્યાં જેની જરૂર હોય તે મુજબની જગ્યાઓ ઉભી થવી જોઈએ. પાર્લામેન્ટ બિલ્ડીંગનો મુખ્ય ચર્ચાખંડ ઉર્ફ ડીબેટીંગ ચેમ્બરમાં સભ્યોની એકાગ્રતા જળવાવી જોઈએ, લોક પ્રતિનિધિને અહીં ઉભા થઈને પોતાનો પક્ષ રજૂ  મન થાય, ચર્ચામાં  ભાગ લેવાનું મન થાય તેવો આ ખંડ હોવો જોઈએ. અને તેવો જ ખંડ અહીં ડીઝાઈન કરવામાં આવ્યો છે. 

સ્કોટીશ પાર્લામેન્ટ બધા જ મુલાકાતીઓને ખુલ્લી રીતે આવકારે છે. જાણે કે આ બિલ્ડીંગ કહેતું હોય કે આવો, લોકશાહીને 'ઇન એક્શન' નિહાળો. જ્યારે સેશન ચાલુ ન હોય ત્યારે તો બિલ્ડીંગના લગભગ બધે જ ફરી શકાય છે. અમારી સાથે મુલાકાતીઓના ટોળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હતા. પાર્લામેન્ટ બિલ્ડીંગનો પ્રવાસ ત્યાંના વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હતો. આપણે પણ સ્કૂલોના પ્રવાસો રાજા-રાણીના મહેલો-મ્યુઝીયમ કે મંદિરો-મસ્જીદોની જગ્યાએ પાર્લામેન્ટ કે એસેમ્બલી જેવી લોકશાહીની પાયારૂપ સંસ્થાઓમાં ગોઠવવા જોઈએ. ભારતમાં પણ જયારે એસેમ્બલી કે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે મુલાકાતીઓની ગેલેરીમાં બેસીને આવનારી પેઢીઓ પોતાના પ્રતિનિધિઓ અને તેમનું વર્તન જોતી હોય તો? કદાચ લોકોના પ્રતિનિધીઓને ટીવી કેમેરા જેવી બેજાન વસ્તુઓ સામે બે આંખની શરમ ન લાગે, પણ વિદ્યાર્થીઓને જોઇને તેમનું વર્તન સુધરે, શું લાગે છે?

નવગુજરાત સમય, પાન નં 9, 5 ઓક્ટોબર (રવિવાર) 2014. 

Sunday, September 21, 2014

નગર ચરખો - ગરીબોનાં મકાન કોણ બનાવે, સરકાર કે બિલ્ડર?

સરકારે જ્યારે જયારે ગરીબો માટે (એટલે કે ગરીબોના નામે) મકાનો બનાવ્યા છે, ત્યારે ત્યારે ગરીબો સિવાય બધાને ફાયદો થયો છે. સરકારોને ખોટનો ધંધો કરવો ફાવતો હોય છે, ગરીબ આવાસની બાબતમાં તો ખાસ. જાહેર ક્ષેત્રની આવાસ યોજનાઓમાં મોટે ભાગે સરકારી જમીન પર, સરકાર દ્વારા, ગરીબોના નામે, મધ્યમ વર્ગ માટે સસ્તા અને ખરાબ ગુણવત્તાના મકાનો બનતા હોય છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર સરકારી મકાનોની ફાળવણીમાં 'લાભાર્થી' નક્કી કરવામાં થતો હોય છે. આજે જીર્ણ-ક્ષીર્ણ થયેલા વિવિધ રૂપ-રંગ-નામ ધરાવતાં હાઉસિંગ બોર્ડોએ તેમાં યથાશક્તિ ફાળો આપ્યો છે. સરકાર મકાનો બાંધી આપે તેનાથી શહેરોમાં સ્લમ વિસ્તારોનો ફેલાતો ઓછો થશે તેવું કોઈ તારણ નીકળતું નથી. આ દેશમાં સસ્તા મકાનોની એટલી બધી અછત છે કે સરકારો ગમે તેટલા મકાનો બાંધે, તે ગરીબ માણસ સુધી પહોંચવાના નથી તેટલી ગરીબી છે. લોકો પોતાની શક્તિ મુજબ પોતાના મકાનો ખુદ બાંધે તે જ યોગ્ય છે અને સરકારની ભૂમિકા તેમાં મૂળભૂત સુવિધા આપવાની હોય તો તે બંને પક્ષે સારા પરિણામ લાવી શકે. 

જો સરકાર ગરીબો માટે મકાનો બાંધવાની ન હોય તો કોણ બાંધશે? ગરીબો માટે મકાન ખાનગી બિલ્ડરો બાંધશે તેવું આજકાલ P-P-P (Public Private Partnership) તરફી ઝોક ધરાવતાં નિષ્ણાતો કહેતા હોય છે. જે જમીન પર સ્લમ વસાહત હોય તે કોઈ બિલ્ડરને આપીને તેમાં નવો પ્લાન મૂકવામાં આવે છે. બિલ્ડરને એ જ સ્થળે કે બીજા નજીકના સ્થળે વધુ બાંધકામ કરવાની સત્તા (FSI) મળે જેના દ્વારા પોતે રોકેલા પૈસા પાછા મેળવી શકે છે. મુંબઈ અને પૂના જેવા શહેરોમાં આ પ્રકારની યોજનાઓ છે, તેને બહુ ઓછી સફળતા મળી છે. મુંબઈ જેવા જમીનોના ગગનચુંબી ભાવ ધરાવતાં શહેરોમાં આ પ્રકારની યોજના નાણાકીય રીતે શક્ય બને છે. પણ ભારતના બાકીના શહેરો મુંબઈ નથી. 

બીજું કે, ગરીબ વ્યક્તિને ઘર આપવાનાં ‘ખોટના ધંધા’ની જવાબદારી માત્ર ખાનગી ક્ષેત્રની કઈ રીતે થઇ શકે? પણ ઘણાં-ખરાં ચાલી જતા સૂત્રોમાં P-P-P પણ ચાલી નીકળે છે. તેમાં મહત્વનો સવાલ એ છે કે આખી વાતમાં મુખ્ય P એટલે કે ‘પીપલ’ ઉર્ફ ‘લોકો’ ક્યાં છે? બિલ્ડર તેમને મકાન આપશે તેની ગેરંટી શું? સ્લમ વિસ્તારો કે જેમાં વેચાણ કરાર, બાનાખત, ભાડાખત  કાયદાકીય સ્પષ્ટતા ન હોય તેવી પરિસ્થિતિમાં કોને મકાન આપવાને કોને ન આપવાની જવાબદારી બિલ્ડર લેશે કે સરકાર? બિલ્ડરો અને ગરીબ વસ્તી વચ્ચે સરકારે સેતુ બનવાની જવાબદારી લેવી પડે. ગરીબ આવાસનું કામ ખાનગી બિલ્ડરોને 'આઉટ સોર્સ' કરવાથી સમસ્યાનો ઉકેલ  આવતો નથી. 

મોટાભાગનાં સ્લમ વિસ્તારો એવી જમીનોમાં ફેલાયેલાં છે કે જ્યાં માલિકી હક અંગે કાયદાકીય ગુંચ હોય છે અને સામસામે દાવા થયેલા હોય છે. આવી ઘણી જમીનોમાં ત્રીસ-ચાલીસ વર્ષ જૂની વસાહતો હોય છે. ઘણીવાર તો સરકારને પોતે સ્લમ વિસ્તારો ખસેડવામાં રસ હોતો નથી. આવી પરિસ્થિતિમાં આ સ્લમ વસાહતોમાં રહેતા લોકોને 'જ્યાં છે ત્યાં' રહેવાનો હક, શહેર સુધરાઈ તરફથી મળતી સુવિધાઓનું તેમનાં સુધી વિસ્તરણ અને નાની-મોટી લોન લઇ શકે તેવી સુવિધાઓની સૌથી વધારે જરૂરીયાત હોય છે. આવા વિસ્તારોમાં અમદાવાદે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી પરિવર્તન ઉર્ફ 'સ્લમ નેટવર્કિંગ' યોજના કરેલી છે, જ્યાં વસ્તીને પાણી-ગટર-શૌચાલય-લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સરકાર અમુક પૈસા લઈને આપે છે. આ પ્રકારે ખરી પબ્લિક-પીપલ પાર્ટનરશીપ થાય છે. શહેરોને ‘સ્લમ-ફ્રી’ બનાવવાનો ટકાઉ રસ્તો તેમને શહેરની સાથે શબ્દાર્થમાં સાંકળવાનો છે નહી કે તેમને શહેર-નિકાલ કરવાનો. આવા ઘણા ઉદાહરણો એશિયાના જ ભારતથી ઓછો વિકાસદર ધરાવતા દેશો જેવા કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેમાં મોજૂદ છે. 

જો શહેરોને ખરેખર સ્લમ-ફ્રી બનાવવા હશે તો ક્યાંક સરકારે મકાનો બાંધવા પડશે, થોડા-ઘણાં મકાનો ખાનગી બિલ્ડરો બાંધી શકશે પણ મોટાભાગનાં સ્લમ વિસ્તારોમાં ગરીબોએ પોતે બનાવેલા ઘરોમાં સર્વિસ અપગ્રેડેશન કરીને તેમને શહેર સાથે સાંકળવા પડશે. તો જ લોકોને ગરીબીમાંથી બહાર આવવા માટે સીડી મળશે. ગરીબીમાંથી બહાર લાવી મૂકતી સીડીઓ જ દેશના આર્થિક અને સામાજિક વિકાસની 'લીફ્ટ' હોય છે. 

નવગુજરાત સમય, પાન નં 9, 21 સપ્ટેમ્બર (રવિવાર) 2014.